ધ્યાન   |   સ્વામીજી   |   આશ્રમ   |   કેન્દ્ર   |   કાર્યક્રમ   |   ટ્રસ્ટ   |   સાહિત્ય   |   પ્રાર્થાના ધામ   |   પૂર્તિ   |   Font Help 




                          કાર્યક્રમ

ગુરુપુર્ણિમા, ચૈતન્ય મહોત્સવ અને મહાશિબિર આ મુખ્ય કાર્યક્રમ દરમ્યાન હજારો ની સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહીને સ્વામીજી દ્વારા વહેતાં ચૈતન્ય ધોધમાં પોતાનુ અસ્તિત્વ ભૂલી જઇ પરમાત્માના ચૈતન્યની અનુભૂતિ કરે છે.

દર વર્ષે ગુરુપુર્ણિમાનો કાર્યક્રમ નવસારીમાં તિઘરા વાડીમાં થતો હતો. પાછલા વર્ષે  રાજ્કોટના સાધકોની ભાવનાને માન આપી તે રાજકોટમાં થયેલ હતો જેમાં દેશ- વિદેશના અનેક સાધકોએ ભાગ લઇ, ચૈતન્યની અનુભૂતિ કરી હતી.આ વર્ષે ગુરુપુર્ણિમાનો કાર્યક્રમ જુનાગઢ ( ગિરનારની તળેટી)માં થનાર છે,જેના માટે ની તૈયારીઓ જોરશોર થી થઇ રહી છે.

સ્વામીજીના જન્મ દિવસ ને ચૈતન્ય મહોત્સવના રૂપે મનાવવામાં આવે છે. પાછલાં છ વર્ષના આ કાર્યક્રમ ની  રુપરેખા આ મુજબ છે.

વર્ષ 2000માં મુબઇમાં જુહુખાતે રાહેજા કોલેજમાં,
વર્ષ 2001માં મુબઇમાં બોરીવલીખાતે,
વર્ષ 2002માં ગુજરાતમાં ભાવનગરખાતે,
વર્ષ 2003માં ગુજરાતમાં નવસારીમાં સ્વામીજીના નિવાસસ્થાન શ્રી બાબા સ્વામી ધામ, મોગાર ગામમાં,જ્યાં તેજ સમયે બાબા સ્વામી ધામનું ઉદઘાટન પણ કરવામાં આવ્યુ હતું.
વર્ષ 2004માં યુ.કે.માં વસતા વિદેશી સાધક ભાઇ બહેનોની ઇચ્છાને માન આપી પેનરુ ખાતે ઉજાવવામાં આવેલ હતો.
વર્ષ 2005માં ગુજરાતમાં સમર્પણ આશ્રમ,દાંડી ખાતે  ઉજવવામાં આવેલ હતો.જ્યાં સમર્પણ આશ્રમ નું ઉદઘાટન પણ કરવામાં આવ્યુ હતું.
પાછલા વર્ષે 2006માં પણ સમર્પણ આશ્રમ માં આ કાર્યક્રમ મનાવવામાં આવેલ હતો.જેમાં દેશ- વિદેશના અનેક સાધકોએ ભાગ લઇ, ચૈતન્યની અનુભૂતિ કરી હતી.
આ વર્ષે પણ આ  કાર્યક્રમ આશ્રમમાં થનાર છે,જેના માટે ની તૈયારીઓ જોરશોર થી થઇ રહી છે.
આખા વર્ષ દરમ્યાન સ્વામીજી ફક્ત એકજ વાર મહાશિબિર લે છે.જેમાં તેઓ હજારો -લાખોની સંખ્યામાં ઉપસ્થિત લોકોની કુંડલીની જાગૃત કરી તેમને પરમાત્માના ચૈતન્યની અનુભૂતિ કરાવે છે.

જાન્યુઆરી 2004માં તેમજ ડિસેમ્બર 2004માં નવસારીમાં સંસ્કાર ભારતી શાળાના મેદાનમાં અને મે 2004 માં મંબઇના સૌમૈયા હોસ્પિટલના મેદાનમાં મહાશિબિર લીધા પછી સ્વામીજી એ વર્ષમાં એકજ શિબિર લેવાનુ નક્કી કર્યુ.
વર્ષ 2005માં રાજ્કોટમાં 80,000થી પણ વધુ લોકોએ આ શિબિરમાં ભાગ લઇ ચૈતન્યની અનુભોતિ કરી હતી.
ગત વર્ષે સુરતમાં થયેલ મહાશિબિર દરમ્યાન બે લાખથી પણ વધુ લોકો એ ભાગ લઇ પરમાત્માના ચૈતન્યની અનુભૂતિ કરી હતી.
આ વર્ષે આ મહાશિબિર અમદાવાદના યુનિવર્સીટી ગ્રાઉંડ માં થવાની છે,જેમાં પાંચ લાખથી પણ વધુ સાધકોના ભાગ લેવાની શક્યતા છે.

આ ઉપરાંત મહાશિવરાત્રીના કાર્યક્રમમાં પણ આશ્રમમાં હજારોની સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહે છે.પાછલા વર્ષે અહિંયા 13 યુગલો ના સ્વામીજીની ઉપસ્થિતિમાં વિવાહ સંપન્ન થયા હતાં.આ વર્ષે પણ છ યુગલો વિવાહના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે.