ધ્યાન   |   સ્વામીજી   |   આશ્રમ   |   કેન્દ્ર   |   કાર્યક્રમ   |   ટ્રસ્ટ   |   સાહિત્ય   |   પ્રાર્થાના ધામ   |   પૂર્તિ   |   Font Help 





                      પ્રાર્થનાધામ

શ્રી શિવકૃપાનંદ સ્વામી આશ્રમ નવસારીમાં આ પ્રાર્થનાધામ આવેલું છે. આનો ઉદેશ્ય પ્રાર્થના દ્વારા સાધકોના જીવનની સમસ્યાઓનું નિરાકરણ કરવું છે.પ્રાર્થના માટે અમુક ચોક્ક્સ સાધકોની નિયુક્તિ કરવામાં આવેલ છે. આ પ્રાર્થનાધામ સાધકોની સેવા અર્થે 24 કલાક કાર્યરત હોય છે.કોઇપણ સાધક પોતાના આપતિના સમયે ફોન અથવા ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરી પ્રાર્થના માટે સમય નિશ્ચિત કરાવી શકે છે.આ નિશ્ચિત સમયે નવસારીના પ્રાર્થનાધામમાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ ચોક્કસ સમયે સાધકે પોતે અથવા સગાંસંબંધીઓએ પોતાના ઘરે ધ્યાન કરી પ્રાર્થના કરવી.આ પ્રાર્થનાધામમાં પૂજ્ય સ્વામીજી દ્વારા સૂક્ષ્મ ચૈતન્યનો પ્રવાહ સતત વહેતો હોય છે. જે પ્રાર્થના દરમ્યાન સાધકોને મદદરુપ બને છે.પૂજ્ય સ્વામીજી પ્રત્યે અખૂટ શ્રધ્ધા અને સંપૂર્ણ સમર્પણ ભાવથી સર્વે સંકટો અને દુઃખોનું નિવારણ થઇ જાય છે.

પ્રાર્થના કરાવવા માટે નિમ્નલિખિત જાણકારી આપવી આવશ્યક છે.

  • પ્રાર્થના કરાવનાર વ્યક્તિનું સંપૂર્ણ નામ.
  • પ્રાર્થના કરાવનાર વ્યક્તિ સ્ત્રી/પુરુષ છે.
  • પ્રાર્થના કરાવનાર વ્યક્તિ સાધક છે/નથી.
  • પ્રાર્થના કરાવનાર વ્યક્તિ સ્ત્રી/પુરુષ  કયાં દેશમાંથી છે.
  • પ્રાર્થના જે વ્યક્તિ સ્ત્રી/પુરુષ  માટે કરવાની છે તેમનું નામ અને સરનામું ,તેમની ઉંમર વગેરેની માહિતી.
  • પ્રાર્થના માટેનો ઉદેશ્યની સંપૂર્ણ વિગતવાર માહિતી.
  • પ્રાર્થના જે વ્યક્તિ સ્ત્રી/પુરુષ  માટે કરવાની છે તે સાધક છે કે નહીં?
પ્રાર્થનાધામનું સરનામું
શ્રી શિવકૃપાનંદ સ્વામી આશ્રમ
નવસારી - ગુજરાત - ભારત
ફોન: 91-02637-324 755/284 395
મોબાઇલ: 09426117175/09374688355
ઇ-મેઇલ:babaswamigujarat@hotmail.com